Newsletter-cum-magazine of Oasis Movement YEAR 3  I ISSUE 56 I April 1, 2010

Indian Young Leadership Development Program (IYLDP) - March 2010

જે જીવન જીવતા ન શીખવે તેને કેળવણી કહેવાય ખરી?

ઓએસિસના અનોખા "જીવન-વર્ગો"ની અભૂતપૂર્વ શરૂઆત

ઍલાઈવના છેલ્લા કેટલાક અંકોથી તમે ઓએસિસના ‘જીવન-વર્ગો’ વિશે વાંચતાં આવ્યા હશો. એકચિત્તે વક્તાને સાંભળતા ઉત્સુક ચહેરાઓની તસવીરો જોઈને કદાચ તમને ‘જીવન-વર્ગ’ એટલે વળી શું? ત્યાં ખરેખર શું થતું હશે? કોઈ ભાષણ કે વકતવ્ય અને આ વર્ગમાં શું ફેર હશે? - જેવા પ્રશ્નો થતા હશે. આમ તો આ પ્રશ્નોનું શ્રેષ્ઠ સમાધાન અનુભવથી જ મળી શકે, છતાં અહીં કેટલાક અંશે એ સમાધાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

આજે ઓએસિસની ઈમારત જે પાયા પર ઊભી છે તે પાયો ‘જીવન-વર્ગો’ જ છે. શરૂઆતના વર્ષોમાં અમે તેને "ઓએસિસ સ્વવિકાસ વર્તુળ" નામથી ઓળખતાં. જેનાથી અમારી જીવન અંગેની સમજણ વિકસી, સામાજિક નિસબત દઢ થઈ, અમે અનેક સંઘર્ષોમાં ટકી રહ્યા, એટલું જ નહીં પણ નવું જોમ લઈને બહાર આવ્યા, વધુ વિસ્તર્યા, તે ‘જીવન-વર્ગો’ આજના યુવાનોને પણ એટલા જ મદદરૂપ થઈ શકશે તેવા અનુભવસિદ્ધ આત્મવિશ્વાસથી અમે થોડીક શાળા-કૉલેજોનો સંપર્ક કર્યો અને કેટલીક જગ્યાઓએ નમૂનારૂપ પહેલો ‘જીવન-વર્ગ’ ગોઠવ્યો. જેની સફળતાને પગલે હવે વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મુંબઈમાં ઓએસિસના ‘જીવન-વર્ગો’ પ્રસરી રહ્યા છે, અને તેને નિયમિત ધોરણે ગોઠવી રહ્યા છીએ.

આમ તો નામ કહી આપે છે તેમ આ જીવનના વર્ગો છે, એટલે કે અહીં ગણિત, સમાજશાસ્ત્ર, ભાષા, વિજ્ઞાનની જેમ જ ‘જીવન’નો વિષય ચર્ચાય છે. બીજા શબ્દોમાં, ‘જીવન-વર્ગો’ એટલે એવી જગ્યા જયાં મિત્રતાની સાક્ષીએ જીવનની, જિંદગીની ચર્ચા થાય છે. અહીં ‘જીવનની ચર્ચા’ અને ‘મિત્રતા’ બંને શબ્દ ઓએસિસ ‘જીવન-વર્ગો’ના હાર્દ સમા છે. તેમાં જયારે સહભાગીઓ તરફથી સહૃદયતા ભળે છે ત્યારે સર્જાતું વાતાવરણ શબ્દોથી વર્ણવવું કે વાચકો સુધી પહોંચાડવું શકય નથી. એક વર્ગમાં સાથે ભણતાં બાળકો આમ તો એકબીજાના મિત્રો હોય જ છે, પણ તેમાં જયારે એક મિત્રતાની મિસાલ સમો ઓએસિસનો જીવન-શિક્ષક ઉમેરાય છે ત્યારે મિત્રતા માટે સાંભળેલી, વાંચેલી આદર્શ બાબતો જીવવા માટે બાળકોમાં જબરું ચેતન આવે છે! ઓએસિસના જીવન-શિક્ષકની ભૂમિકા અહીં માત્ર ઉદ્દીપક બનવા પૂરતી જ જરૂરી હોય છે.

ઓએસિસના ‘જીવન-વર્ગો’ની થોડી વિશિષ્ટતાઓ જાણીએ:

મોકળું વાતાવરણ:

ઓએસિસના પહેલવહેલા ‘જીવન-વર્ગ’માં હાજર રહેલા શિક્ષકોને શરૂઆતમાં વર્ગમાં વ્યાપેલી અરાજકતા/ઘોંઘાટથી લાગતો આઘાત, વર્ગ પૂરો થાય ત્યાં સુધીમાં જીવનને શીખવા માટે તત્પર બાળકોના પ્રશ્નો અને તેમના જવાબો સાંભળીને સાનંદાશ્ચર્યમાં જરૂર પલટાય છે, એવું અમે ખાતરીપૂર્વક કહી શકીએ.

ઓએસિસના ‘જીવન-વર્ગો’માં કશું જ ફરજિયાત નથી હોતું. કિશોરો/યુવાનો ચાહે તો માથું નાખી ઊંઘી જઈ શકે છે અને ચાહે તો આખા સેશનને અટકાવવાનું સૂચન કરી શકે છે. બધું જ તેમના હાથમાં છે તેવી ખાતરી સર્વપ્રથમ આપવામાં આવે છે. જયાં જીવનની ચર્ચા થવાની છે તે વર્ગ જીવંત ન હોય તો કેમ ચાલે? અને જીવન એવું તો અગાધ છે અને તેની સચ્ચાઈમાં એટલી તાકાત છે કે એ જ ઘોંઘાટ કરતાં કિશોરો/યુવાનો કયારે એકચિત્તે સાંભળતા ને ચર્ચાતી વાતમાં ઓતપ્રોત થઈ જાય છે તેની જોનારને ખબર પડતી નથી. મોકળું વાતાવરણ મન પણ મોકળું બનાવી આપે છે. પિન-ડ્રોપ સાયલન્સ નહીં, પણ જીવંતતા એ ઓએસિસના ‘જીવન-વર્ગો’ની નિશાની છે, જેમાં કદી શાંતિ તો કદી ખિલખિલાટ હાસ્ય તો કદી ગંભીરતા - તમામને સ્થાન છે.

વર્ગના નિયમો વર્ગ જાતે જ બનાવે:

ઓએસિસ ‘જીવન-વર્ગો’ની બીજી લાક્ષણિકતા એ છે કે અહીં કોઈ નિયમો નથી. હવે જે નિયમો બનાવવાની જરૂર લાગે તે નિયમો વર્ગ જાતે જ બનાવે છે. સર્વાનુમતે જે નક્કી થાય તે સહુએ કરવાનું, તેમાં ઓએસિસના જીવન-શિક્ષક પણ બાકાત નહીં.

અમારો અનુભવ છે કે બાળકો/કિશોરો/યુવાનો તરત જ વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગી નિયમો જાતે જ સૂચવે છે.

પ્રશ્ન કરો, જવાબ મેળવો:

ઓએસિસ ‘જીવન-વર્ગો’માં કિશોરો/યુવાનોને જે સૌથી પહેલા સિદ્ધાન્તનો પરિચય થાય છે તે છે - કશુંક શીખવું/સમજવું છે, તો પ્રશ્ન કરો. પ્રશ્ન પૂછવામાં બિલકુલ ખચકાવાની જરૂર નથી. ‘જે પ્રશ્ન કરે છે તે કદાચ થોડી ક્ષણો પૂરતો લોકોની નજરમાં મૂર્ખ ઠરે છે, પણ જે નથી કરતા તે હંમેશ માટે મૂર્ખ રહે છે.’ કિશોરો/યુવાનો ગમે ત્યારે ઓએસિસ જીવન-શિક્ષકને અટકાવીને પ્રશ્ન કરી શકે છે, જીવન-શિક્ષક પણ તેમને અગણિત પ્રશ્નો પૂછ્યા કરે છે અને આમ શીખવાની યાત્રા ચાલતી રહે છે.

બાળકો/કિશોરો શરૂઆતમાં ખચકાય છે પણ પછી ધીમે ધીમે ખૂલતાં જાય છે. જીવનમાં કેટલીય બાબતોને આપણે સમજયા વિના સ્વીકારી લેતાં હોઈએ છીએ, યુવાનોમાં જો વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, તે દરેક બાબતને પ્રશ્ન કરતા થાય તો માત્ર પ્રશ્નો કરવાની આદત તેમને જીવનની જટીલમાં જટીલ સમસ્યાઓ વખતે સ્પષ્ટતા તરફ દોરી શકે છે.

ઓએસિસ ‘જીવન-વર્ગો’માં આ રીતે પાયાનું વાતાવરણ તૈયાર કર્યા બાદ દરેક મહિનાને ફાળવેલા વિષય મુજબ અહીં જીવનના જુદા જુદા વિષયોની ચર્ચા કરવામાં આવે છે. અન્ય વિષયોની જેમ અમે આ ‘જીવન-વર્ગો’ના આખા વર્ષ માટેના અભ્યાસક્રમની રૂપરેખા તૈયાર કરી છે, અલબત્ત જૂથની જરૂરિયાત અનુસાર તે ફેરફારને પાત્ર રહે છે.

ઓએસિસ ‘જીવન-વર્ગો’ની આટલી ઝલકથી તમને એ પણ સ્પષ્ટ થયું જ હશે કે ‘જીવન-વર્ગો’ સાચા અર્થમાં ‘જીવન-વર્ગો’ બની રહે તેનો સૌથી મોટો આધાર જીવન-શિક્ષક છે. તેમની પરિપકવતા, સચ્ચાઈ અને મિત્રતાનો ભાવ તથા પશ્ચાદ્ભૂમાં જીવનની વિશાળ સમજણ તેમને યુવાનોની નજરોમાં ઉદાહરણરૂપ બનાવે છે. અત્યારે ઓએસિસ ‘જીવન-વર્ગો’ શ્રી સંજીવ શાહ દ્વારા લેવામાં આવે છે. સંજીવભાઈ અમારા ઓએસિસના મિત્રોમાં જીવનને પચાવી જાણનાર શ્રેષ્ઠ જીવન-શિક્ષક છે - તેઓ ઓએસિસના સ્થાપક છે, ૫૦-૬૦ પુસ્તક/પુસ્તિકાઓના લેખક છે (જે તેમના ગહન જીવનચિંતન અને સૌના વિકાસમાં મદદરૂપ થવાની ભાવનાનું પ્રતિબિંબ છે), ઓએસિસ કાર્યશાળાઓના ફેસિલિટેટર છે અને ઓએસિસના તમામ કાર્યક્રમોના માર્ગદર્શક છે. યુવાનો સાથે છેલ્લાં ૨૦ વર્ષોની સઘન કામગીરીએ અને તેમની સહૃદયતાએ તેમને સૂઝબૂજનું શ્રેષ્ઠ ભાથું આપ્યું છે. એટલે જ આજના યુવાનોની બોલી/ભાષા વગેરે અતંરોને વટાવીને તેમની મિત્રતા અને મદદરૂપ થવાની ભાવના યુવાનોને સ્પર્શી જાય છે.

ઓએસિસ ‘જીવન-વર્ગો’ના વધુ ચમકારા વખતોવખત વહેંચતા રહીશું. એ પહેલાં તમારી ઈંતેજારી વધી ગઈ હોય તો ઓએસિસ સંયોજકનો સંપર્ક કરી, ‘જીવન-વર્ગો’ની માહિતી મેળવી, સહભાગી બનવા આવી પહોંચી શકો છો.

~ Kshama Kataria

End

The Goal of Education is to Find Joy

  Some Important Principles being practiced at LIFE Classes:

  1. Every child is good without exception.
  2. The School & Teacher/Facilitator is for child; the child is not for the teacher or school. (It is failure of school if a child doesn't want to go to school or attend classes.)
  3. The Goal of Life and so Education is to work happily and find joy.
  4. Learning is always a voluntary choice; one can not force children to learn in a creative way.
  5. Education should be not just development of intellect, but development of emotional intelligence too. Also, Education is to bring out whatever is already hidden within children, and not to stuff or cram things.
  6. Children thrive and grow the most in the environment of complete freedom. Imposed discipline and guilt makes children fearful and dishonest about their feelings.
  7. The role of Teacher/Facilitator is to enjoy and affirm children, to create an environment of freedom and to support and fulfill children's requirements for growth.

International Women's Day (IWD) Celebration

બહેનો માટે એક વિશેષ ‘જીવન-વર્ગ’નું આયોજન કરીને તથા વડોદરા અને રાજકોટમાં એક-એક કાઉન્સેલિંગ/ચર્ચા સત્રો ગોઠવીને, તા. ૭થી ૯ માર્ચ દરમ્યાન ઓએસિસે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે ૯મી તારીખે, વડોદરાની રાજા નારાયણલાલ પી.ટી.ટી.આઈ. બી.એડ્. કૉલેજની બહેનો માટે ઓએસિસ બહેનો માટે એક વિશેષ ‘જીવન-વર્ગ’નું આયોજન કરીને તથા વડોદરા અને રાજકોટમાં એક-એક કાઉન્સેલિંગ/ચર્ચા સત્રો ગોઠવીને, તા. ૭થી ૯ માર્ચ દરમ્યાન ઓએસિસે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી. ગોઠવવામાં આવ્યો હતો. બી.એડ્.ના છેલ્લા વર્ષમાં ભણતી ૮૦ જેટલી આવતીકાલની શિક્ષિકાઓ સાથેનો આ સંવાદ ખૂબ ગતિશીલ રહ્યો. બહેનો ઘણી જાગૃત હતી, તેમણે ખૂલીને પ્રશ્નો પૂછયા, અને ખૂલીને પ્રશ્નોના જવાબ આપ્યાં. અલબત્ત તેમાં ગોખણપટ્ટીની પાછળ કઈ રીતે સાચી સમજણ મેળવવાનું ચૂકી જવાય છે તેના નિદર્શનથી અમે સૌ, જીવન-શિક્ષક અને વિદ્યાર્થિનીઓ, પેટ ભરીને હસ્યાં. માત્ર શબ્દો પૂરતા નથી, તેનાથી કદાચ પેપરમાં ગુણ મળી જાય પણ પછી જીવનમાં આપણે નાપાસ થઈ જઈએ તેમ બની શકે. દરેક બાબતને પ્રશ્ન કરવાથી તેને ભાષાથી પર થઈ, વૈજ્ઞાનિક રીતે અને જેને ખરેખર વ્યવહારમાં મૂકી શકાય તે રીતે સમજી શકાય છે એવો સૌને અનુભવ થયો.

લગભગ અઢી કલાકના સત્રમાં મુખ્યત્વે 'આત્મવિશ્વાસ' તથા 'શિક્ષણ'ની ચર્ચા થઈ. કાર્યક્રમની ફલશ્રુતિ રૂપે આ એંશી બહેનોએ આત્મવિશ્વાસ વિનાનો ચહેરો કદી પણ, કોઈને પણ ન બતાવવાનું વચન આપ્યું. જીવનના કપરા સમયમાં, આ એંશીમાંથી એકાદને પણ જો આ સેશન અને પોતાનું વચન યાદ આવશે અને એ નિરાશા, સંજોગોના ભારને ખંખેરી નાખશે તો આપણી આ વર્ષની આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી સાર્થક રહેશે.

Open LIFE Class launched specially for Women

૮મી માર્ચે ઓએસિસની ઑફિસ પર યોજાયેલી ચારેક કલાકના કાઉન્સેલિંગ સેશનમાં લગભગ ૧૫ બહેનોએ ભાગ લીધો હતો. આપણો કોઈ પણ નિર્ણય સાચો છે કે ખોટો તે નિર્ણય લેતી વખતે કેવી રીતે નક્કી કરી શકાય, કારકિર્દીના શરૂઆતના સંઘર્ષો, ધર્મ અને પ્રેમ, નસીબ જેવી બાબતો બહેનોએ ચર્ચી. આ ચર્ચામાં હાજર રહી અવલોકન કરનારને 'યુવાનોને સાચી બાબતો જીવવામાં રસ નથી' એવા એવા આક્ષેપો કેટલા ખોટા અને પોલા છે તેની તુરંત પ્રતીતિ થાય - પહેલાં એમને એવું પ્લેટફોર્મ તો આપીએ જયાં એ ખૂલીને પોતાની મૂંઝવણો કહી શકે, પોતાના પ્રશ્નો વહેંચી શકે. આ આખા સત્રની મુખ્ય હાઈલાઈટ એ હતી કે બહેનો જાતે જ એકબીજાને જોઈતું માર્ગદર્શન ઘણા અંશે આપી શકી હતી. મિત્રતા હોય, જીવનને ચર્ચવાનું વિશ્વસનીય અને મોકળું પ્લેટફોર્મ હોય, તો ઘણું ઘણું વહેંચીને ઘણું ઘણું પામી શકાય! આ પ્રતીતિને લઈને આંતરરાષ્ટ્રીય મહિલા દિને અમે બહેનો માટેના વિશેષ ‘જીવન-વર્ગો’ની શરૂઆત કરવાનું અને એ માટે નિયમિત અંતરાલે મળવાનું નક્કી કર્યું.

આ કાર્યક્રમની બીજી પણ એક ફલશ્રુતિ રહી - મોટા ભાગની સહભાગી બહેનો યુવાન અને અપરિણિત હતી. એટલે અમે સૌએ નક્કી કર્યું કે કોઈ પણ ભોગે, પૂરતું વિચાર્યા વિના અને મન વિના, અમે લગ્ન માટે કોઈ પણ પ્રકારના દબાણને વશ થઈશું નહીં.

        

Motherhood

  Editor's Note

"Sparkling eyes, curious eyes, smile-on-corner-eyes, misty eyes, serious eyes, laughing eyes...." the teenagers in Oasis LIFE Classes are simply enjoying it, loving it. The start of Oasis LIFE Classes in a few cities of Gujarat has been very heartwarming. It's a joy to watch the young participants completely engrossed in the learning atmosphere during these LIFE Classes.

From the new term in schools and colleges this year, beginning post-May, Oasis has planned many LIFE Classes across Gujarat, few places at Madhya Pradesh and at Mumbai.

Contact us if you think there is a possibility of Oasis LIFE Class at the school/college where you are associated.

~ Mehul Panchal Mehul

  રાજકોટ ખાતે વિશ્વ   મહિલા દિનની ઉજવણી

આપણી માન્યતાઓમાંથી જ છેવટે આપણું વર્તન દોરાતું હોય છે. એટલે મહિલા દિન નિમિત્તે રાજકોટમાં ગોઠવાયેલા ચર્ચા-સત્રમાં ૨૨થી ૩૦ વર્ષની વય ધરાવતાં દસેક ભાઈ-બહેનોએ ભેગા થઈને બહેનો અંગેની પોતાની માન્યતાઓ, સમાજમાં પ્રર્વતતી માન્યતાઓ નોંધી હતી અને પછી તેની યોગ્યતા બાબતે ચર્ચા કરી હતી.

બહેનોએ નોંધેલી મુખ્ય માન્યતાઓમાં - બહેનોએ આર્થિક રીતે પગભર હોવું જ જોઈએ, બહાર નીકળવું જોઈએ પણ ઘરની જવાબદારીઓ ભૂલીને નહીં, માત્ર પૈસા માટે નહીં પણ પોતે કંઈક કરવું છે માટે બહાર નીકળવું જોઈએ, લગ્ન જ્ઞાતિમાં થાય તે સૌથી સારું, પણ આંતર-જ્ઞાતીય લગ્ન પણ મહત્ત્વ ધરાવે છે, મંગળસૂત્ર, સેંથો, લાજ, બુરખો વગેરે માટે ફરજ ન પડવી જોઈએ... વગેરે હતી. તો ભાઈઓએ નોંધેલી માન્યતાઓમાં- બહાર કામ કરે, વાંધો નહીં, પણ ઘરની જવાબદારીનો વિવેક જાળવીને તથા સુરક્ષિતતાનો ખ્યાલ રાખીને કરે; સ્ત્રીના આંતરિક સૌંદર્યને વધુ મહત્ત્વ આપવું જોઈએ, સ્ત્રીએ સુરક્ષિતતાના કારણોસર રાત્રે એકલા બહાર ન ફરવું જોઈએ, લગ્ન પછી માતા-પિતાના ઘરનો મોહ ઓછો કરી નાખવો જોઈએ, લગ્ન પછી બહેનોએ પુરુષ-મિત્રો સાથે બહાર હરવા-ફરવા કે ભોજન માટે ન જવું જોઈએ, લિવ-ઈન રિલેશન/ કોન્ટ્રાકટ મૅરેજ વગેરે બાબતો બહેનોનાં જ હિતમાં નથી, માતાપિતાએ બાળકની અને ઘરની જવાબદારી સરખે ભાગે વહેંચવી જોઈએ... વગેરે હતી.

સહમતિ ન હોય તેવી કેટલીક માન્યતાઓ પર ચર્ચા કરીને જૂથ એ નિષ્કર્ષ પર પહોંચ્યું હતું કે જો જરૂર હોય કે પછી માત્ર ફરવા ખાતર પણ બહેનો ઇચ્છે તો રાત્રે એકલાં બહાર નીકળી શકે, માત્ર તેમણે જો કોઈ કટોકટી ઊભી થાય તો શું કરવું તેના માટે માનસિક રીતે તૈયાર હોવું ઘટે અને બને એટલું સાવધ રહેવું ઘટે. જૂથે એવું પણ તારણ કાઢ્યું હતું કે પૈસાની જરૂર હોય કે ન હોય, સ્ત્રીએ પોતાના આત્મવિશ્વાસ માટે, પોતાની સંભાવનાઓ ઉઘાડવા માટે અથવા સમાજને કંઈક યોગદાન આપવા માટે પણ કમાવું જોઈએ/પ્રવૃત્તિ કરવી જોઈએ.

આ સેશનમાં ફેસિલિટેટરની ભૂમિકા ડૉ. પલ્લવી રાઉલજીએ ભજવી હતી.

  Quotable Quotes

Everyone who remembers his own education remembers teachers, not methods and techniques.

The teacher is the heart of the educational system.

~ Sidney Hook

Look at the trees, look at the birds, look at the clouds, look at the stars, and if you have eyes you will be able to see that the whole existence is joyful. Everything is simply happy.

Can our education make our children happy?

~ Osho

Too often we give children answers to remember rather than problems to solve.

~ Roger Lewin

The secret in education lies in respecting the student.

~ Ralph Waldo Emerson

  Alive Archives

To View Alive Archives, Please Click here>>>

  Team Alive

  Alkesh Raval

  Jolly Madhra

  Jwalant Bhatt

  Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.