Newsletter-cum-magazine of Oasis Movement YEAR 4 I ISSUE 90 I Sept 1, 2011

Oasis Organises A Symposium: 'Learning Principals Of Learning Schools'

‘શીખતી શાળાના શીખતા આચાર્યો’ – એક પરિસંવાદ

અગ્રણી શાળાઓ અને સંસ્થાઓને ઓએસિસનું ભાવભીનું આમંત્રણ

આદર્શ-સમાજના નિર્માણ તરફ જવા માટેનું એક અત્યંત મહત્વનું
અને બુનિયાદી કાર્ય બાળકોનું ચારિત્ર્ય-ઘડતર છે

મહાત્મા ગાંધીજી પાસેથી અમે શીખ્યા છીએ કે આપણે કેવળ કાર્યકર્તાની નહિ, પરંતુ સાધકની ભૂમિકાએ જીવવું અત્યંત આવશ્યક છે. આપણે જે પણ સામાજિક કાર્યો કરીએ છીએ તેનાથી આપણે શું ધ્યેય હાંસલ કરવા ઇચ્છીએ છીએ? આપણા કાર્યો પાછળ આપણી શું દ્રષ્ટિ છે? આપણા પ્રયત્નો અને અનુભવોમાંથી આપણે શું શીખીએ છીએ? શું આપણા કાર્યોની પ્રગતિની સાથે સાથે આપણે વધુ સારા માનવો પણ બની રહ્યાં છીએ કે નહીં?

અમે અવારનવાર ખુદને આવા પ્રશ્નો પૂછતાં રહીએ છીએ. અમે માનીએ છીએ કે છેવટે જે દેશ અને જે સમાજ તરફથી આપણને અઢળક મળ્યું છે તેના બદલામાં આપણે પણ સમાજને યથાશક્તિ યોગદાન આપવું ઘટે. સૌ આદર્શવાદી મનુષ્યોની જેમ અમે પણ એક આદર્શ સમાજના નિર્માણ માટે સ્વપ્નો જોઈએ છીએ. અમારા બે દાયકાનો અનુભવ એમ કહે છે કે આદર્શ-સમાજના નિર્માણ તરફ જવા માટેનું એક અત્યંત મહત્વનું અને બુનિયાદી કાર્ય બાળકોનું ચારિત્ર્ય-ઘડતર છે.

એ દેખીતું છે કે આ કાર્ય છેવટે વાલી-કેળવણી અને અસરકારક કેળવણી-વ્યવસ્થા દ્વારા જ શક્ય છે. આ બંને પાસાઓમાં ઓએસિસ કાર્યરત છે અને અમે મક્કમપણે માનીએ છીએ કે બધા જ કેળવણીકારો- વિશેષ કરીને શાળાના સંચાલકો- જો ધારે તો આ વિષયે ઘણું ઘણું કરી શકે તેમ છે. જો કે એ પણ હકીકત છે કે મોટા ભાગની શાળાઓના આચાર્યો આ બાબતે સભાન હોતાં નથી. આપણી શિક્ષણ-વ્યવસ્થા પણ કાંઈક એવી છે કે કોર્સ પુરો કરવાના ભારણમાં જ શાળાઓનું વહીવટીતંત્ર એવું વ્યસ્ત હોય છે કે સાચી કેળવણી વિષે વિચારવાનો જાણે અવકાશ જ રહેતો નથી.

જો કે આશાનું કિરણ એ છે કે કેટલીય શાળાઓના આચાર્યો અને સંચાલકો, હયાત વ્યવસ્થા વચ્ચે પણ, પોતપોતાની શાળાઓ/સંસ્થાઓમાં સાચી કેળવણી માટે ઉત્તમ પ્રયત્નો અને પ્રયોગો કરી રહ્યાં છે.

ઓએસિસ ઈચ્છે છે કે આ સૌ કેળવણીકારો એક પ્લેટફોર્મ પર આવે અને મિત્રતાની ભૂમિકાએ પ્રથમ પોતપોતાના પ્રયોગો, પ્રાપ્તિઓ અને સંઘર્ષો એકમેક સાથે વહેંચે. આ પાછળનો હેતુ એવો છે કે સૌ અન્યોની અંદરના સકારાત્મક તત્વો ગ્રહણ કરી પોતપોતાની શાળા/સંસ્થાને વધુ ઉન્નત કરી શકે. નિયમિત ગાળે આમ મળીને સંવાદ તથા કાર્ય કરવાથી ગુજરાતને એક સભાન શાળાઓનું કોર ગ્રુપ પ્રાપ્ત થશે. ત્યાર બાદ આ કોર ગ્રુપના સભ્યોની મદદથી કેળવણી ક્ષેત્રમાં સુધારણા માટેના સંગઠિત પ્રયત્નોની વધુ સંભાવનાઓ આપણી સમક્ષ આપમેળે ખુલશે.

આ બેઠકનું આયોજન વડોદરા પાસે ચાણોદ સ્થિત “ઓએસિસ વેલીઝ” ખાતે તા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ થશે.

આ બેઠકમાં શામેલ થવા અગ્રણી શાળાઓના તમામ આચાર્યો/સંચાલકોને ભાવભર્યું નિમંત્રણ આપી રહ્યાં છીએ.

~ ઓએસિસ વતી,
ડૉ. માયા સોની
મો.: ૯૯૦૪૩૪૨૧૫૯

  Editor's Note

At Oasis, we believe that character building of children is ultimately possible through parents-education and effective education system. Working in both areas, we strongly believe that all educationists – especially school organizers/ principals can do much more in these areas. But the reality is that principals of most of the schools are neither aware of it, nor have time to think about it.

Ray of hope is that there are few principals and organizers who are continuously striving for real education in their schools. Oasis wishes to bring all those educationists on one platform and so, a symposium has been organized by oasis – ‘Learning Principals of Learning Schools’. Aim is, in a friendly dialogue they share their experiments, achievements and struggles. Through such dialogue everyone learns and takes positive points from each others to lead their schools/ organizations to higher levels.

The symposium will be organized at Oasis Valleys (Chanod, Dist. Vadodara) on 18th September, 2011.

All principals of leading schools are heartily invited to attend the symposium.

~ Mehul Panchal  Mehul

‘Unhappiness Of Students & Our Share Of Responsibilities’
Dialogue Organised By Oasis At Rajkot On August 25, 2011

‘વિદ્યાર્થીઓનું દુઃખ અને આપણા ભાગે આવતી જવાબદારીઓ’

ઓએસિસે ૨૫ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે સંવાદ-બેઠક યોજી

@ 25 invited citizens attended a dialogue organized by Oasis at 'Life Building', Rajkot.

શું આપણી શાળાઓમાં આવતા બાળકોના આત્મસન્માન અને આત્મવિશ્વાસના
સંરક્ષણ અને સંવર્ધનની આપણી કોઈ જવાબદારી ખરી?

આમંત્રિત ૨૫ જેટલા જાગૃત નાગરિકોની હાજરીમાં રાજકોટના ‘લાઇફ બિલ્ડીંગ’ ખાતે, તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૧૧ના રોજ યોજાયેલ સંવાદ-બેઠકનું સંચાલન ઓએસિસના શ્રી સંજીવ શાહ અને શ્રી શીબા નાયરે કર્યું હતું. વિષય હતો ‘વિદ્યાર્થીઓની આત્મહત્યા- આપણી જવાબદારી’. આત્મહત્યા પાછળ દેખીતા મુશ્કેલ અભ્યાસ અને નિષ્ફળતાના ડર જેવા ઉપરછલ્લા કારણોની અંદર વાત લઈ જતા સંજીવભાઈએ અગત્યના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

શ્રી સંજીવ શાહે જણાવ્યું હતું કે, ‘જયારે જયારે કોઈ વિદ્યાર્થીના આત્મહત્યાના સમાચાર મળે છે ત્યારે થોડો હોહાપો થાય છે, આક્ષેપો અને હતાશાભરી ચર્ચાઓ શરુ થાય છે પણ થોડા દિવસોમાં બધું ચીલાચાલુ થઇ જાય છે. જેઓ સંવેદનશીલ છે અને વિદ્યાર્થીઓના સાચા હિતેચ્છુઓ છે તેઓ જાણે છે કે આવી ઘટનાઓ તો હિમશીલાની ખાલી બહાર દેખાતી ટોચ સમાન છે. કેટકેટલા યુવાનોને આપણી શિક્ષણ-વ્યવસ્થા મનથી મારી નાખે છે તેનો કદાચ હજુ મોટા ભાગનાને અંદાજ જ નથી.

આવી ઘટનાઓ પાછળ કોની જવાબદારી? કોઈ કહેશે- શાળાની/આચાર્યની, તો કોઈ કહેશે વાલીઓની કે શિક્ષણ-વ્યવસ્થાની- પણ હકીકત એ છે કે આપણે કોઈ આપણી જવાબદારીઓમાંથી છટકી શકીએ તેમ નથી.’

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘હું અંગત રીતે માનું છું કે માતા-પિતા તરફથી સાચો સ્નેહ, સમજદારી, સ્વીકાર અને પ્રોત્સાહન પામનારા કોઈ બાળકો આવું પગલું ન જ ઉઠાવે. પરંતુ શાળાના સંચાલકોએ પણ વિચારવા જેવું છે કે તેમની શાળાના બાળકો અગર આવી કોઈ હતાશા કે ડરથી પીડાતા હોય તો તે તેમની શાળાના કેવા વાતાવરણને પ્રતિબિમ્બિત કરે છે? શાળાઓનું કાર્ય કેવળ કોર્સિસ પુરા કરવાનું છે? શું ગણિત અને વિજ્ઞાનની સાથે બાળકો સાચી રીતે જીવન જીવતાં શીખે, ફોગટની સ્પર્ધાના ભોગ ન બને, તે માટે આપણી કોઈ જવાબદારી નથી? શું આપણી શાળાઓમાં આવતા બાળકોના આત્મસન્માન અને આત્મવિશ્વાસના સંરક્ષણ અને સંવર્ધનની આપણી કોઈ જવાબદારી નથી?’

હાજર રહેલા મહેમાનો સંમત થયા કે આપણા સમાજમાં આવી ઘટનાઓ ન થાય તે માટે નક્કર પગલાઓ ઉઠાવવા જોઈએ. શાળાઓ પણ વિચારવું જોઈએ કે તેઓ આ વિષયે શું કરી શકે? આપણે સૌ પણ સંગઠિતપણે કશું તો કરવું જ જોઈએ.

બેઠક દરમિયાન કેટલાંક સૂચનો થયા હતાં, જેમકે-

૧. આચાર્યો/શિક્ષકો માટે સેમિનાર
૨. શિક્ષકોએ ‘લાઇફ ક્લાસ’ કોઓર્ડીનેટર તરીકે જોડાવુ
૩. પ્રેરણા આપે તેવા પોસ્ટર દરેક શાળામાં લગાવવા
૪. સમાચાર પત્રોની લોકપ્રિય કોલમોમાં છાપવું
૫. વિદ્યાર્થીઓને પ્રેરણા આપે તેવી વાર્તાઓ કહેવી
૬. માતા-પિતાની જાગૃતિ માટે શાળાના સંચાલકો તરફથી પરિપત્રો મોકલવા
૭. સૂચના/તકલીફ પેટી મૂકવી
૮. નૈતિક મૂલ્યો વધારે તેવા ક્લાસ લેવા, ફિલ્મો બતાવવી

અંતે આ દિશામાં નક્કર પગલાં લેવાની શરૂઆત કરવા ફરીથી મળવાનું નક્કી થયું.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Jwalant Bhatt

Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.